- તમારી ‘કષ્ટદાયક’ (પ્રોડક્ટ કે સર્વિસ)થી મરવા કરતા બીજાને અપનાવવું તેને હિતાવહ લાગ્યું છે એટલે…
- તમારી પ્રોડક્ટ/સર્વિસના કોઈ એક ફેક્ટર દ્વારા એમનું મન દુભાયું છે. કોઈ કીડો સળવળ્યો છે?- તપાસ કરો ભાઈ!
- તમારી પ્રોડક્ટ/સર્વિસનો થવો જોઈએ એવો કોઈ ઉપયોગ તમારા ગ્રાહકે કર્યો નથી. પોસિબલ છે કે તમે એમને સારી અને સાચી રીતે (વધુ) વપરાય એવું જ્ઞાન આપ્યું નથી.
- તમારી પ્રોડક્ટ/સર્વિસ વપરાય તો છે…પણ એનો સ્ટોક એમને ત્યાં હજુ લાંબા સમયથી પડ્યો છે. કેમ પડ્યો છે જેની પરવા હજુ સુધી તમે કરી નથી.
- તમારી પ્રોડક્ટ/સર્વિસને વાપરવાનું તદ્દન બંધ કરી દીધું છે. કેમ કે જોઈએ એવું રીઝલ્ટ હવે તે આપી શકતું નથી.
- તમારા જ કોઈક હરીફે ચાલાકીપૂર્વક તમારા ગ્રાહકને તમારી પાસેથી છીનવી લીધો છે. કેમ કે તમે એમની સાથે સારો એવો ઘરોબો કેળવ્યો નથી.
- તમારી કંપની દ્વારા કોઈ એવું ધ્યાન (લક્ષ્ય) આપવામાં આવ્યું નથી એટલે એ પણ ધ્યાન આપવું જરૂરી માનતા નથી.
- તમારી કંપનીએ કોઈકને કોઈ રીતે (લક્સ સાબુ વગર) એમને નવડાવી દીધા છે. જેની એમને નાહ્યા પછી ખબર પડી છે.
- તમારી કંપનીના સેલ્સમેન દ્વારા એમની ‘વાટ’ લગાવામાં આવી છે. જેની એમને પાછળથી ખબર પડી છે.
- તમારી કંપનીના સેલ્સમેન ઓર્ડર મેળવવામાં ‘ઈમોશનલ અત્યાચાર’ કરે છે.
- તમારી કંપની જ એમને કોન્ટેક્ટ કરવાનું ભૂલી ગઈ છે…
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો