મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

બુધવાર, 24 નવેમ્બર, 2010

ખુશ રહો, સફળ થાઓ

 પ્રેરણાત્મક પુસ્તકોના લેખકોમાં ઝિગ ઝિગલર એક અત્યંત જાણીતું નામ છે. એમના પુસ્તક ‘સમથિંગ ટુ સ્માઈલ એબાઉટ’માં જીવનના ઉતાર ચડાવ સામે કેવો અભિગમ અપનાવવો તેનું માર્ગદર્શન અપાયું છે. આપણી વિચારશૈલી બદલાય તો સમસ્યાઓનો હસતે મોઢે સામનો થઈ શકે છે. ખુશમિજાજ વ્યક્તિ પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાનો સ્વભાવ નથી બદલતી જેથી સફળતાનો માર્ગ સરળ બની જાય છે.

બીજા સાથે સરખામણી કરતા રહેશો તો એમનાથી આગળ ક્યારેય નહીં વધી શકો. ધ્યેય સમકક્ષ થવાનો નહીં પરંતુ આગળ વધવાનો રાખો. સમયને જે મેનેજ કરી શકે છે તેને સમયનો અભાવ નથી નડતો. પ્રતિભાશાળી હોવા કરતાં સમયનો સદુપયોગ કરનાર વધારે સફળ થાય છે. આપણે પોતાના વિશે શું વિચારીએ છીએ તેના કરતાં આપણા માટે બીજાઓ શું વિચારે છે તે મહત્વનું છે. બીજાઓની નજરમાં જો આપણે સક્ષમ છીએ તો એ આપણને આગળ વધવામાં પ્રોત્સાહિત કરે છે. કોઈનું નેતૃત્વ લેતાં પહેલાં પોતાની જાતને મેનેજ કરતાં શીખવું જરૂરી છે.

જો તમે પોતાની સ્થિતિથી સંતુષ્ટ નથી તો ચિંતા કે ફરિયાદ કરવા કરતાં સ્થિતિને સુધારવાના પ્રયાસ જરૂરી છે. જે કરવાની ઈચ્છા છે એને ભવિષ્ય પર ન છોડી આજથી જ શરૂઆત કરી છે. કોઈપણ ઉંમરે મોડું નથી હોતું. ચિંતન કરનાર સારું વિચારે છે પણ આ વિચારોને અમલમાં મૂકવા માટે મહેનત જરૂરી છે. ધીમી ગતિની પ્રગતિ પણ એક સ્થળે રોકાઈ જવા કરતાં સારી છે, લોકો તમારા વિચારો નહીં પણ કાર્યથી તમારું મૂલ્યાંકન કરે છે માટે નક્કર કામ પર વધારે ધ્યાન આપો. તમને લાગે કે તમારું સ્વપ્ન સાકાર કરવાની તમારામાં શક્તિ છે તો એને વળગી રહો. પરિસ્થિતિ અનુકૂળ ન હોય પણ તમારી ઈચ્છાશક્તિ બળવાન હશે તો ધીરેધીરે બધું બદલાવા માંડશે.

ખુશ રહેનારા શું નથી એની ફરિયાદ કરવી છોડી દઈ જે છે તેને માણવા પર વધારે ધ્યાન આપે છે. માનવ સ્વભાવ જે જોવા માંગતો હોય તેને જ જુએ છે. નકારાત્મક વિચારો ધરાવશો તો બધું ખરાબ દેખાશે. ડીગ્રી મેળવવાથી ભણતર ભલે પુરું થતું હોય પણ અભ્યાસ કોઈપણ ઉંમરે પુરો થતો નથી. દરેક વ્યક્તિમાં સફળતાનાં બીજ રહેલાં છે. સફળ વ્યક્તિ બીજાને કંઈક આપે છે અને ઘણું જતું કરે છે. બીજાની ભૂલ પર એવી પ્રતિક્રિયા આપો જાણે એ ભૂલ તમે પોતે કરી હોય અને તમારા ઉપરી પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખો છો. જો ખુશમિજાજ રહી શકશો તો બીજાઓનું પ્રોત્સાહન મળતું રહેશે અને પ્રગતિમાં મદદરૂપ થશે.

bakulbakshi@hotmail.com

નવી નજરે, બકુલ બક્ષી

(divyabhaskar)

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More