મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

રવિવાર, 21 નવેમ્બર, 2010

ભારતની એક ઉદાસ રાત

ઐતિહાસિક મહત્વ હોવા છતાં પ્લાસીમાં હાલ છે શું? ફક્ત થોડાં સ્મારકો અને એ પણ વિકૃત પ્રેમીઓ દ્વારા અશ્લીલ સંદેશો લખેલાં? આ બધું જોઇ મનમાં એક પ્રકારની ટીસ ઠે છે. બાંગ્લા કવિ નવીનચંદ્રે પ્લાસીને ‘ભારતની ઉદાસ રાત’ તરીકે વર્ણવ્યું છે. મુર્શિદાબાદમાં રહેતા નવાબના વંશજો પ્લાસી વિશે કોઇ પણ પ્રકારની વાત કરવા માટે કતરાય છે.

પ્લાસી... ભાગીરથી નદીના કિનારે વસેલું બંગાળનું એક નાનકડું ગામ. કલકત્તાથી લગભગ ૧૬૦ કિલોમીટર દૂરનો એક એવો વિસ્તાર, જ્યાં આજથી અઢીસો વર્ષ પહેલાં બ્રિટિશ સામ્રાજ્યનો ઉદય થયો હતો. ૨૩ જૂન ૧૭૫૭ ના દિને ભાગીરથી નદીના કિનારે ફક્ત નવ કલાક ખેલાયેલા જંગે ઇતિહાસની રૂખ બદલી નાખી.

આ જંગ ખેલાયા પછી વેપાર કરવા આવેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ગોરાઓના હાથમાં ભારતની બાગડોર ચાલી ગઇ. સિરાજુદ્દદોલા બંગાળના અંતિમ નવાબ રહ્યા અને રોબર્ટ કલાઇવે પ્રથમ ગવર્નર જનરલનો તાજ પહેર્યો.

કોલકાતા, બેહરામપુર કે કૃષ્ણાનગરથી બસમાં કે ટ્રેનમાં પ્લાસી પહોંચી શકાય છે. ઉત્તર-પશ્વિમ દિશામાં આવેલું આ ઐતિહાસિક યુદ્ધસ્થળ સ્ટેશનથી પાંચ કિલોમીટર દૂર છે. કોલકાતા સાથે જોડાતા પહેલાં રસ્તાનો બે કિલોમીટરનો ટુકડો ૩૪ નંબર નેશનલ હાઇવે થઇને જાય છે.

એક-બે મોટી દુકાન, ટેલિફોન ટાવર સિવાય બધું જ ત્યાં ‘ગ્રામ બાંગ્લા’ જેવું દેખાય છે. હાઇવે છૂટતાં જ રસ્તો સૂમસામ થતો જાય છે. પાકાં મકાન પાછળ છૂટી જાય છે અને રહી જાય છે માત્ર ત્રણ ગજ પહોળો કોંક્રિટ રસ્તો!

અહીં રસ્તાની આજુબાજુ ચાની દુકાનો છે. ખાવું હોય તો ત્રણ કિલોમીટર દૂર મીરા બજાર સુધી જવું પડે. રસ્તો પૂરો થતાં જ પ્લાસીનું સ્મારક નજરે પડે છે. ઐતિહાસિક યુદ્ધની સાબિતી આપતું સફેદ રંગનું આ સ્મારક દીવાલોથી ઘેરાયેલું છે. સ્મારક પર ‘પ્લાસી યુદ્ધસ્થળ, ૨૩ જૂન ૧૭૫૭’ કોતરાયેલું છે, પાસે જ સિરાજુદ્દોલાની અડધા કદની પ્રતિમા છે. અહીં જોવાલાયક સ્થળ તરીકે સ્મારક, યુદ્ધ સ્થળ અને ચીની મિલ છે.

સ્મારક નજીક પચ્ચીસ વીઘાનો પીડબ્લ્યૂડીનો પ્લાસી ઇન્સ્પેક્શન બંગલો છે, જે હવે ગેસ્ટહાઉસમાં ફેરવી દેવાયો છે. ગેસ્ટહાઉસમાં અંગ્રેજોનો ઘણો સામાન હતો, જે પાછળથી ખસેડી દેવાયો હતો. હવે ત્યાં પ્લાસીની લડાઇની યાદ અપાવતું પેઇન્ટિંગ તથા કાચના વિશાળ ટેબલ પર રહેલો યુદ્ધ સ્થળનો નકશો અને આકૃતિ જ બચ્યા છે. ભવનથી થોડે દૂર અંગ્રેજોનો તબેલો હતો.

અહીંથી થોડે દૂર શેરડીનાં ખેતરો વચ્ચે બીજું એક સ્મારક છે. ત્યાં પહોંચવા માટે ખેતરોની વચ્ચેથી જવું પડે છે. આ સ્મારક નવાબના ત્રણ સેનાપતિ નૌવે સિંહ હજારી, બકશી મીર મદન અને બહાદુર અલી ખાન જેવા ત્રણ મહાનાયકની શૌર્યગાથા અને શહીદીની યાદ અપાવે છે.

અહીં જ્યાં જુઓ ત્યાં ખેતરો જ દેખાય છે. પાણીમાં ડૂબેલાં ઉજ્જડ ખેતરો! આ જ ખેતરોમાંથી વીજળીનાલ ટાવરો પસાર થાય છે.

ઐતિહાસિક મહત્ત્વ હોવા છતાં પ્લાસીમાં હાલ છે શું? ફક્ત થોડાં સ્મારકો અને એ પણ વિકૃત પ્રેમીઓ દ્વારા અશ્લીલ સંદેશો લખેલાં? આ બધું જોઇ મનમાં એક પ્રકારની ટીસ ઠે છે. બાંગ્લા કવિ નવીનચંદ્રે પ્લાસીને ‘ભારતની ઉદાસ રાત’ તરીકે વર્ણવ્યું છે. મુર્શિદાબાદમાં રહેતા નવાબના વંશજો પ્લાસી વિશે કોઇ પણ પ્રકારની વાત કરવા માટે કતરાય છે.

આજે પણ પ્લાસીના યુદ્ધમાં થયેલી હાર અહીંના લોકોને ખૂંચે છે. અઢીસો વર્ષ જૂના જખમ જેવું પ્લાસીનું યુદ્ધ ભારતીયોના પરાજયની યાદ તાજી કરે છે, એટલે જ ભારત સરકાર પણ કદાચ પ્લાસી પ્રત્યે ઉદાસીન છે અને પ્લાસીની મુલાકાત લેનારાઓને આ દુ:ખ ખુદ પ્લાસી જ બયાન કરી દે છે!

સ્થાનિક ડો. ધનંજય વિશ્વાસ કહે છે ‘સરકાર પ્લાસીને પયટર્ન કેન્દ્ર તરીકે વિકસાવવા માગે છે. સરકાર પ્લાસી ઉપરાંત નદિયા જિલ્લાનાં અન્ય ઐતિહાસિક સ્થળો કૃષ્ણાનગર, માયાપુર અને બેથુ આદુઆરીને પણ પયટર્ન સ્થળ તરીકે વિકસાવવા ઇચ્છે છે. જોકે ભાગીરથી નદીની વધતી પહોળાઇથી ગામના લોકો ચિંતિત છે.’

(divyabhaskar)

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More