મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

ગુરુવાર, 18 નવેમ્બર, 2010

યુવાનો ઊર્જાવાન અને સમર્થ બને

સને ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે શિકાગોના હોલ ઓફ કોલંબસ ખાતે યોજાયેલ ‘વિશ્વ ધર્મ પરિષદ’માં ‘અમેરિકાનાં બહેનો અને ભાઇઓ!’ના સંબોધનથી છટાદાર અને જોશીલું પ્રવચન કરી સમગ્ર જગતને મંત્રમુગ્ધ કરનાર તેજસ્વી યુવાન સ્વામી વિવેકાનંદની ઉંમર તે વખતે માત્ર ૩૦ વર્ષની હતી.

કલકત્તાના સામાન્ય પરિવારમાં જન્મ ધારણ કરનાર નરેન્દ્રનાથ નામના આ યુવાનનો અભ્યાસ માત્ર કોલેજ (બી.એ.) સુધીનો હતો, પરંતુ તેમની પાસે ઉચ્ચ આધ્યાત્મિકતા, યોગશક્તિનો સાક્ષાત્કાર અને ગુરુદેવની અનુપમ અનુકંપાનું ભાથું હતું!

બાળપણમાં જ નરેન્દ્રના પિતાનું અવસાન થતાં પરિવાર આર્થિક બેહાલીમાં આવી ગયો. એક દિવસ નરેન્દ્રનાથે દક્ષિણેશ્વર સ્થિત શ્રી રામકૃષ્ણદેવને પોતાના કુટુંબની આર્થિક સંકડામણ દૂર થાય તેવી પ્રાર્થના કરવા આગ્રહપૂર્વક વિનંતી કરી.

ગુરુદેવે કરુણાપૂર્ણ સ્વરે કહ્યું, ‘આજે રાતે કાલી મંદિરમાં જઇ મા જગદંબાને સાષ્ટાંગ પ્રણામ કરી ઇષ્ટ વરદાન માગજે. મા સર્વજ્ઞ છે. સંકલ્પમાત્રથી પ્રસન્નતા પામનારી છે.’ પરંતુ નરેન્દ્રનાથ તો જ્ઞાન અને ભક્તિ સિવાય કંઇ જ પ્રાર્થી શક્યા નહીં, ત્યારે શ્રી રામકૃષ્ણજીએ કહ્યું ‘ઠીક, તારાં કુટુંબીજનોને કદી અન્ન-વસ્ત્રની મુશ્કેલી નહીં પડે જા.’ યોગસિદ્ધ મહાપુરુષ દ્વારા કરવામાં આવેલા શક્તિપાતની આ ઘટનાએ નરેન્દ્રમાં ઊંડી શ્રદ્ધા અને યોગસાધનાનાં બીજ રોપ્યાં.

જેના પરિપાક રૂપે સને ૧૮૯૧માં જ્યારે તેઓ દક્ષિણમાં કન્યાકુમારી પધાર્યા, ત્યારે સાગરકિનારાથી થોડે દૂર સંગમસ્થળ પરના ખડક સુધી પાણીમાં તરતા તરતા જ પહોંચી ગયા. અહીંના અલૌકિક વાતાવરણમાં તેમને ઊંડી ભાવસમાધિ લાગી ગઇ. ધ્યાનાવસ્થાની આ સ્થિતિમાં તેઓને દિવ્યતાનાં દર્શન થયાં. અહીંયાં જ તેમણે પોતાના સંન્યસ્ત જીવનને દેશભક્તિના કાર્યમાં જોતરવાનો અને પશ્ચિમના જગતને ભારતની ભવ્ય સંસ્કૃતિનાં દર્શન કરાવવાનો સંકલ્પ કર્યો.

જે મા જગદંબાની જ કૃપા હતી! આજે ભારતના યુવાન દુનિયાભરમાં પોતના જ્ઞાનનો ડંકો વગાડે છે, તેની પશ્વાદ્ભૂમાં આપણી સંસ્કૃતિના ઉચ્ચતમ આધ્યાત્મિક સંસ્કારોનો શક્તિસ્ત્રોત રહેલો છે. આદિગુરુ શંકરાચાર્યજી (સને ૭૮૮-૮૨૦) ભરયુવાનીમાં જ દૈવીશક્તિનું ઐશ્વરીય પ્રેરણાબળ પામ્યા હતા. સહજાનંદ સ્વામીએ ભરયુવાનીમાં જ આકરી તપશ્વર્યા થકી સમાજના પુનરુત્થાન માટે કાર્ય કર્યું અને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી.નવરાત્રિના નવ દિવસ ગરબા સ્વરૂપે માતાજીની ભક્તિ કર્યા પછી દિવાળીના પાંચ દિવસ એ માતાની ત્રગિુણાત્મક શક્તિ ઉપાસના કરવાનું શ્રેષ્ઠ પર્વ છે.

આ દિવસોમાં દેવી ભગવતી મહાકાલી (તમસ), મહાલક્ષ્મી (રજસ) અને મહાસરસ્વતી (સત્વ) સ્વરૂપે વ્યાપ્ત હોય છે. આ સમયે કરેલી ઉપાસના થકી વર્ષભરની આંતરિક ઊર્જા સંચય કરી શકાય છે. પરામ્બા ભગવતી એ ઇશ્વરની પરમ શક્તિ છે. શક્તિ પોતે જગતરૂપે છે. એટલે જગજનની કહેવાય છે. માત્ર ૩૨ વર્ષની જીવન સફરમાં આધ્ય શંકરાચાર્યજીએ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા તેમજ રાષ્ટ્રની આધ્યાત્મિક શક્તિ ઉજાગર થાય તે માટે ભારતની ચારે દિશામાં ચાર મઠ (શક્તિ કેન્દ્ર)ની સ્થાપના કરી. ત્યાં જ્ઞાનનીઅધિષ્ઠાત્રી દેવી મા શારદાનાં મંદિર બનાવ્યાં. એટલું જ નહીં દેશ આર્થિક સમૃદ્ધિથી પણ સંપન્ન થાય તે હેતુથી અનેક સ્થળોએ શ્રી ચક્રરાજની પણ સ્થાપના કરી. શિવની સચ્ચિદાનંદમયી પરાશક્તિની માંત્રિક ઉપાસના તે શ્રી વિદ્યા-દિવાળીના પાવનકારી દિવસોમાં શ્રી યંત્રની પૂજા આર્થિક શ્રદ્ધરતા અર્પનારી છે.

શક્તિ શબ્દ ધાતુમાંથી ઉત્પન્ન થયો છે. ઇષ્ટકાર્ય સધાવી શકે, તેવા સામથ્ર્યને અથવા બળને શક્તિ કહે છે. બ્રહ્નાંડ પુરાણમાં શક્તિને ત્રણેય લોકની જનની-માતા કહી છે. ખાસ કરીને દેશનું યુવાધન શક્તિ ઉપાસક બને. ઊર્જાવાન બને. શ્રીનો ઉપાસક સદૈવ મહાલક્ષ્મીની પ્રસન્નતા પામે છે. નિર્મળ બાળક જેવા ભાવથી મા ભગવતીની કરેલ ભક્તિ દેવીશક્તિની સુલભ દિવ્ય અનુભૂતિ કરાવનારી છે.


(divyabhaskar)

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More